જ્યારે રાહુલે પત્રકારને મોઢે ચોપડાવ્યું: આ સવાલ તમારો નહિ ભાજપવાળાનો છે...
- 17 Apr, 2024
લોકસભા ચૂંટણીમાં INDIA બ્લોકની સહયોગી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ ગુરુવારે યુપીના ગાજિયાબાદમાં સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે બીજેપી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીને જ્યારે અમેઠી છોડીને ચૂંટણી લડવાનો સવાલ કરવામાં આવ્યો તો તેમણે કટાક્ષ કરતા કહ્યું કે આ તો બીજેપીનો સવાલ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મને અંદાજ આવી જાય છે કે કેટલાક સવાલ બીજેપીવાળા હશે. જોકે હું એ સવાલોના જવાબ આપવા માટે પણ તૈયાર છું. રાહુલને પહેલો સવાલ કરવામાં આવ્યો કે દિલ્હીની જગ્યાએ આ પ્રેસ કોન્ફરન્સ યુપીના ગાજિયાબાદમાં કરવામાં આવી રહી છે અને વડાપ્રધાન માટે ઉમેદવાર પણ ગુજરાત છોડીને યુપી આવી રહ્યાં છે. જોકે તમે યુપી છોડીને વાયનાડ શાં માટે જતા રહ્યાં? રાહુલે આ અંગે તરત જ ટકોર કરતા કહ્યું કે આ સવાલ બીજેપી વાળો છે.
રાહુલને પૂછવામાં આવ્યું કે શું તે અમેઠી કે રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડશે? આ અંગે તેમણે રિપોર્ટર પર કટાક્ષ કર્યો અને કહ્યું કે આ બીજેપીનો સવાલ છે. ખૂબ જ સરસ. મને જે પણ આદેશ મળશે, હું તેનું પાલન કરીશ. અમારી પાર્ટીમાં આ તમામ નિર્ણય કોંગ્રેસ કમિટી તરફથી લેવામાં આવે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ